"નારી તુ જ નારાયણી" -ભટ્ટ ભાનુશંકર શાસ્ત્રી

 

જય મહાદેવ,  જય પરશુરામ,  માતૃ દેવો ભવ:,  પિતૃદેવો ભવ:...... 
                 

નમસ્તે જ્ઞાતિજનો, મિત્રો, વડીલો, દેવીઓ , સજ્જનો.....

જનની  જણ તો  ભક્ત જણ જે  કા દાતા કા શૂરવીર, 
 નારી મત સતાઈએ  નારી નરની ખાણ,  નારી થકી 
        નર  નીપજ્યા  ધ્રુવ, પ્રહલાદ.

        સ્રી એ શક્તિ છે અને  સ્રી એ જ દેવી છે.
       સ્રી પોતે પોતાના માટે જીવન, જીવતી જ
નથી, જીવનન આખુ સમર્પણ કરતી હોય તો તે જ
સ્રી છે, નાની હોય ત્યારે , મોળકત, મોળાવ્રત,
સારા પતી માટે, લગ્ન પછી પતિ માટે, પછી
બાળકો અને સાસુ સસરા અને પછી પોતાના પૌત્ર
માટે જીવન આખુ સ્ત્રીનું જીવન સમર્પણ પોતાનું કંઈ
નહીં એવું જીવન એક સ્ત્રીનું જ છે. કોઈપણ સફળ
પુરૂષની પાછળ એક સ્ત્રી નો જ મહત્ત્વનો ફાળો
હોય છે. વચન વિવેક જે નર - નારી ત્યાં
બ્રહ્માદિક લાગે પાય. સ્રી એ ઘરનું આભૂષણ છે.
 સ્રી  છે એજ નરનું ઢાકણ છે. સ્રી પુરૂષને તારી
પણ શકે છે અને ડુબાડી પણ શકે છે. જેના ઘરમાં
સ્રી  ખુશ તેનો પરિવાર ખુશ. જે ઘરમાં સ્રી નાખુશ
તેનો પરિવાર નાખુશ રહે છે સ્રી છે સાક્ષાત
લક્ષ્મીનું સ્વરૂપ છે. ઘરની લક્ષ્મી ગૃહલક્ષ્મી પણ
સ્રી છે. આપણા ઋષિ મુનીઓ ભગવાનથીય
વંદનીય હતા પણ આપણા ઋષિ મુનીઓ
ભગવાનની જેમ પુજનીય ન બન્યા. એનું કારણ કે
એની સાથે શક્તિ નહોતા એટલે શક્તિથી સહુ દેવ
પુજાયા શક્તિહીન પુતળા જેવા.
    સ્રી એજ શકિતનું સ્વરૂપ છે,  ઋષિ મુનીઓ
અને શંકારાચાર્ય શક્તિનો અનાદર કરીને અંતે તેને
શક્તિની આરાધના કરી ને તે ધન્ય બન્યા હતા.
સતી સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિના
પ્રાણને પાછો લાવ્યા હતા. સતી અનસુયા પાસે
ભગવાનને પણ બાળક બનવું પડ્યું હતું અને સતી
વૃંદાના સતીત્વ આગળ પરમાત્મા નારાયણ
ભગવાન વિષ્ણમુને પણ પોતાની અષ્ટ પટરાણીમાં
સતીવૃન્દાને સ્થાન આપવું પડ્યું અને સતત
શાલીગ્રામ સ્વરૂપે તુલસીની સાથે નારાયણને સાથે
રહેવું પડ્યું. મૃત્યુ લોકની એ સતીયોનીની આ
મહાનતા છે. જીજાબાઈ હોય તો જ શિવાજી
મહારાજ જન્મે, હિન્દુ ધર્મને ટકાવી શકાય.
ગાંધારીનો શાપ ભગવાન શ્રીકૃષ્ણને પણ લાગ્યો
હતો. અને યાદવ કુળ આખાનો નાશ સતી
ગાંધારીના શાપને લીધે થયો હતો અને કૌરવ
કુળનો નાશ પંચાલી એટલે કે દ્રોપદીના શાપને લીધે
થયો હતો. નરમાંથી નારાયણ બનવું હોય તો
શકિત સિવાય નથી થવાતું. જાલીમ જેસલ માંથી
જેસલપીર સતી તોરલને લીધે બન્યા હતા.

કોઈપણ સ્ત્રીને જો શક્તિના સ્વરૂપમાં
જોવામાં આવે તો કળીયુગર્મા પણ સત્યયુગની
સ્થાપના થઈ શકે. સ્વામી વિવેકાનંદ અને તેના ગુરૂ
રામ કૃષ્ણ પરમહંસ પણ શક્તિની આરાધના
કરવાની મહાન વિદ્વાન, મહાન જ્ઞાની, મહાન
વિભુતી પંકિતમાં સ્થાન પામ્યા હતા.

યા દેવી સર્વભૂતેષુ શકિતે રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે તમો તતમઃ ।
અસ્તુ... જય મહાદેવ...

Share on:

વધુ પોસ્ટ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.