કાર્યક્રમો
29
Mar 2026📢 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની ખાસ અને જરૂરી મીટિંગ – ૨૯ માર્ચ ૨૦૨૬ 🕉️
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન, કાયના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર.🙏 નમસ્કાર સ્નેહીજનો,શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિના તમામ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, બુક ધારકો, કુંડાળાના પ્રમુખશ્રીઓ, યુવામંડળ કમિટી, મહિલામંડળ કમિટી અને તમામ જવાબદાર હોદ્દેદારોને સવિનય જણાવવાનું કે, આપણા સમાજના વિકાસ અને કેટલાક અગત્યના નિર્ણયો લેવા માટે એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 🤝📍 મીટિંગની વિગતો:📅 તારીખ: ૨૯-૦૩-૨૦૨૬, રવિવાર⏰ સમય: સવારે ૧૦:૦૦ કલાકે🏛️ સ્થળ: શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન, કાયના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર.📋 મીટિંગના મુખ્ય મુદ્દાઓ (એજન્ડા):આ મીટિંગમાં સમાજને લગતા નીચે મુજબના અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે:🔹 ગત મીટિંગનું વાંચન અને ઇન્કમટેક્સની આવેલી નોટિસ અંગે ચર્ચા. 📄🔹 શિક્ષણના નવા વર્ગો શરૂ કરવા અને તે માટે જમીન રાખવા બાબતે. 🏫🔹 કુમાર છાત્રાલય (કળાનાળા) ની જગ્યાની ખરીદી અને વેચાણનો નિર્ણય કરવા બાબતે. 🏢🔹 જ્ઞાતિ દ્વારા 'ભાગવત સપ્તાહ' ના આયોજન બાબતે. 📖🔹 સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામોમાં સમાજ માટે જગ્યા રાખવા અંગે. 🛕🔹 કમિટી દ્વારા ૧૯૩૭ ના જ્ઞાતિ ધારામાં કરેલા સુધારા (અપડેટ) ને બહાલી આપવા બાબતે. 📜🔹 આગામી સાધારણ સભાની તારીખ અને સ્થળ
21
Dec 2025🔱🌹 સ્નેહ મિલન સમારોહ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱
સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર🔱🌹 સ્નેહ મિલન સમારોહ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱આપ સૌને જણાવતા આનંદ થાય છે કે, આપણે સૌવ ૨૩ મો સ્નેહમિલન સમારોહ ઉજવી રહયા છીએ આ શુભ પ્રસંગે એક બીજાને રૂબરૂ મળવા, જૂની યાદોને તાજી કરવા અને વૈજ્ઞાનીક, કમ્યુટરનાં યુગમાં ભાગદોડવાળી આપણી રોજીંદી જીવન શૈલીમાંથી હળવાશની પળો માણવા તેમજ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને સાથોસાથ આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, સંપ-સેવા-સહકાર-સંગઠનની ભાવના કેળવાય તે હેતુથી શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ દ્વારા આયોજિત ૨૩ મા સ્નેહ મિલન સમારોહ માં અમદાવાદમાં વસવાટ કરતા જ્ઞાતિ બંધુઓને સહ-પરિવાર પધારવા તથા સહર્ષ સહભાગી થવા લાગણીસભર નિમંત્રણ પાઠવીએ છીએ.. હર હર મહાદેવ..🙏🌷તારીખ: ૨૧/૧૨/૨૦૨૫ ને રવિવારસમય: સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી.સ્થળ: સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર.નોંધ: કાર્યક્રમ દરમ્યાન ભોજન સાથે લેશુંમેપ લોકેશન માટે ક્લિક કરો..👇https://maps.app.goo.gl/gZMTwjAirmAbqHdJA
25
Oct 2025ભાવનગર : શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ સંવત ૨૦૮૨
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન, કાચના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર✨ સ્નેહ મિલન સમારંભ ✨ 🪔 નૂતન વર્ષાભિનંદન 🪔🗓️ તારીખ: ૨૫/૧૦/૨૦૨૫ શનિવાર 🕙 સમય: સવારના ૧૦:૦૦ કલાકે 📍 સ્થળ: શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન, કાચના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર.💌 સ્નેહી શ્રી સમસ્ત શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિજનો,સવિનય સાથ જણાવવાનું કે, જ્ઞાતિનું સંવત ૨૦૮૨ ના વર્ષનું સ્નેહ મિલન સમારંભ શ્રી દશાપાલીવાલ જ્ઞાતિ ભવનમાં રાખેલ છે. જેમાં સંતશ્રીઓ, મહંતશ્રીઓ, સમાજના મહાનુભાવો, આગેવાનશ્રીઓ, જ્ઞાતિના વિવિધલક્ષી સદ પ્રવૃતિઓમાં જોડાયેલ સર્વે હોદેદારશ્રીઓ, જ્ઞાતિના વિવિધ મહિલા મંડળો તથા જ્ઞાતિના ગામોમાં સક્રિય યુવા મંડળો તથા વિવિધ સેવા ના હોદેદારશ્રીઓ સહિત સૌની ખાસ ઉપસ્થિતિમાં ઉપરોક્ત સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. જેમાં સમાજના વર્ષવાર થનાર કામોની માહિતી આપવામાં આવશે જેમાં સહભાગી થવા વિનંતી. સર્વે જ્ઞાતિજનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. 🤗✍️ લી.મહેન્દ્રભાઇ બી. બારૈયા (પ્રમુખ)લાભશંકરભાઈ ડી. લાધવા (ઉપ-પ્રમુખ)જેરામભાઇ બી. જાની (મહામંત્રી)જીતુભાઈ ડી. પનોત (ઉપ-પ્રમુખ)પ્રવિણભાઇ કે. પંડ્યા (ઉપ-પ્રમુખ)બાલાભાઇ બી. ઘાંઘલીયા (સહ મંત્રી)ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, બુકધારકો, હુંડાના પ્રમુખશ્
03
Aug 2025શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ મીટીંગ
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવનસ્નેહીશ્રીસવિનય સાથ જણાવવાનું કે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટીઓ/કારોબારી સભ્ય/બુકધારકો/હુંડાનાપ્રમુખશ્રીઓ અને જવાબદારી આપેલ વ્યક્તિઓની મીટીંગ નીચેના એજન્ડા માટે રાખેલ છે જે સમયસર હાજર રહેવા નમ્ર વિનંતીસ્થળ: શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન કાચના મંદિર સામે તળાજા રોડ ભાવનગરતારીખ: ૦૩-૮-૨૦૨૫ રવિવાર સમય સવારના ૯૩૦ કલાકે એજન્ડા:૧.ગત મીટીંગનું વાંચન કરવા બાબત.૨. રક્ષાબંધનના દિવસે ચુલા દિઠ એક વૃક્ષ રોપવું અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવા બાબત.૩.રોયલ જ્ઞાતિની વાડીમાં જાહેર થયેલ વૃક્ષો રોપવા બાબત ચર્ચા કરવી.૪.રક્ષાબંધનના દિવસે ચુલા દિઠ વાર્ષિક સભ્ય ફી રૂપિયા ૫૦૦/- એકત્ર કરવા બાબત.૫.રોયલ વાડીમાં રસોડુ અને રૂમ બને તેના ખર્ચ ને બહાલી આપવા બાબત.૬.તિથી ભોજન નાણાં ખાતા ફેરફાર કરવા બાબત.૭. હોદેદારોની વરણી કરવા બાબત.૮.પ્રમુખ સ્થાનેથી રજૂ થાય તે.નોધ: યુલા દિઠ વાર્ષિક સભ્ય ફી રૂપિયા ૫૦૦/- ફાળાની બુકો આપવામાં આવશે જે એક માસમાં જમા કરવાની રહેશેદાન તથા ફાળો આપનાર પાસેથી આધારકાર્ડ અથવા પાનકાર્ડ ની નકલ લેવાની રહેશે અને તે જમા કરાવવીબપોરનું ભોજન સાથે લેશુંમહેન્દ્રભાઈ બી. બારૈયા: પ્રમુખ લાભશંકર
20
Jul 2025🙏🙏 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજીત 38 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૫ 🙏🙏
શ્રી પાલીવાલ ભવન કાંચના મંદીરની સામે, ભાવનગર🌸🙏 ડિજીટલ નિમંત્રણ 🙏🌸📣 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ તથા તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા આયોજિત🎉 ૩૮મો તેજસ્વી તારલા સન્માન સમારોહ-૨૦૨૫ 🎉📜 આત્મીય પાલીવાલ જ્ઞાતી બંધુશ્રી આપણી જ્ઞાતીના 742 જેટલા તેજસ્વી તારલાઓએ વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવી છે, જે માટે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ગૌરવ અનુભવે છે.✨ આપણા આ તેજસ્વી તારલાઓ ને સન્માનીત કરવા જ્ઞાતિના સંતો, આગેવાનો અને વડીલો હાજર રહી આશીર્વચન પાઠવવાના છે તો આપશ્રીને આપણી જ્ઞાતીની તેજસ્વી પ્રતીભાને બીરદાવવા માટે ડિજીટલ નિમંત્રણ પાઠવવામાં આવે છે. 🗓️ તારીખ: 20/07/2025 – રવિવાર🕣 સમય: સવારે 8:30 કલાકે📍 સ્થળ: શ્રી પાલીવાલ ભવન, તળાજા રોડ, કાચના મંદીર સામે, ભાવનગર📢 આ સન્માન પ્રાપ્ત કરવા આપ તથા આપના પરિવારજનોને હાર્દિક આમંત્રણ છે. કૃપા કરીને સમયસર પધારશો.નોંધ : કાર્યક્રમ પુર્ણ થયે ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. 🙏 નિમંત્રક: 🙏શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ તેજસ્વી તારલા સન્માન સમિતિ
21
Jun 2025આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા યોગ નું આયોજન કરવા માં આવશે.
પાલી ભવન, કાચના મંદિર સામે, તળાજા રોડ, ભાવનગર.*🙏🙏🙏🦚🦚🦚🌷🌷🌷🌷🌷આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 ના દિવસે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન કાચના મંદિર સામે તળાજા રોડ ભાવનગર સવારમાં 5- 45 થી 7:00 વાગ્યા સુધી યોગ કરાવવામાં આવશે.ભાવનગર શહેરમાં રહેતા તમામ જ્ઞાતિજનો ના ભાઈઓ બહેનોને વિશાળ સંખ્યામાં આ યોગમાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે .*યોગ કરવા માટે શેત્રંજી સાથે લાવવી શક્ય હોય તો સફેદ ડ્રેસ પહેરવો પતંજલિ ના યોગ સાધકો અને યોગ શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવશે.*🌷🌷🌷🌷🦚🦚🦚🦚🦚🖊️🖊️🖊️🙏🙏🙏🙏
03
May 2025પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025
પીપરલા⛱️💐🏕️ _પાલીવાલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫_🏠✈️🌴 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - પીપરલા દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા:- ૦૩/૦૫/૨૦૨૫ થી તા:- ૦૭/૦૫/૨૦૨૫ સુંધી કરવામાં આવેલ છે. તેમનો મેન્ સિદ્ધાંત યુવા વર્ગ સંગઠિત થાય અને સમાજ માં દરેક કાર્ય માટે ખંભેથી ખંભો મિલાવી હર એક કાર્યમાં સાથ અને સહકાર આપે તેવી પીપરલા ગામના યુવાનોની એક ટેલ છે. તો દરેક ગામ ના નવલોહિયા યુવાનોને ઉપરોક્ત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ અને સાથ સહકાર આપે તેવી વિનંતી છે.........* 🪀 માહિતી આપનાર:- પાલીવાલ લાયન્સ મોબાઈલ નંબર:- 8140515153
27
Apr 2025શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ યુવા મહાસંમેલન
શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ, પાલીભવન, ભાવનગરઆગામી તારીખ 27. 4. 2025 ના રોજ શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અંદાજે વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપતા યુવાનોને એકત્ર કરી સમાજ સુધારણા વ્યસન મુક્તિ કન્યા કેળવણી સરસ્વતી સહાય યોજના આયુષ્યમાન સહાય યોજના વગેરેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે આશરે 1000 થી 2000 યુવાનો નો ભવ્ય મહા સંમેલન કરવામાં આવશે.
16
Apr 2025પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના મિટિંગ
શિવકુંજ આશ્રમ - અધેવાડા🎍🌷🦚 *જય પરશુરામ..... જય મહાદેવ.....*🚩🛕🌹 *પાલીવાલ બ્રહ્મ સમાજ પરશુરામ યુવા સેના આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજની ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા માટેનું આયોજન માટે મિટિંગ રાખેલ છે.* ⏰ *તારીખ:- 16/04/2025 સમય:- સાંજે 08:30 કલાકે* 🛕 *સ્થળ:- પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ - અધેવાડા.)* *તો દરેક યુવાનો, વડીલો, આગેવાનો એ બહોળી સંખ્યા માં હાજર રહેવા નમ્ર વિનંતી છે.*🕉️🌴🪷 ✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખશ્રી. 🛕 "વ્રજ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🌴♻️
14
Apr 2025શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત
શિવકુંજ આશ્રમ, અધેવાડા.🕉️🌴🌹 શ્રી દશા પાલીવાલ બ્રાહમણ જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત સમિતિ - ભાવનગર.🦚🏕️🎍 ⛱️🏘️કમીટીઓની યાદી⛱️🏘️ ચૈત્રવદી-૧ ને સોમવાર તા. ૧૪/૦૪/૨૦૨૫ - શિવકુંજ આશ્રમ, અધેવાડા. 🕉️ હિસાબ ભેટ દાન સ્વિકારનારશ્રીઓ:- (૧) શ્રી દુર્લભજીભાઈ છગનભાઈ પાલ (૨) શ્રી ભાનુભાઈ ભુપતભાઈ ભટ્ટ (૩) મહાશંકરભાઈ પરશોત્તમભાઈ પંડયા (૪) શ્રી રઘુભાઈ જેઠાભાઈ ધાંધલ્યા (૫) શ્રી બાબુભાઈ શામજીભાઈ જાની (૬) શ્રી અંબારામભાઈ ધરમશીભાઈ ધાંધલ્યા (૭) શ્રી બાલકૃષ્ણભાઇ ગોપાળજીભાઈ પાઠક (૮) શ્રી જતીનભાઈ ઈશ્વરભાઈ જાની. માર્ગદર્શક :- જેરામભાઈ ભગવાનભાઈ જાની. 🕉️ સમીધ/પુજાપો/ભેટની ખરીદીના વ્યવસ્થાપકશ્રીઓ:- (૧) ગોવિંદભાઈ જીવરામભાઈ પનોત (૨) ભાવેશભાઈ મગનભાઈ બારૈયા (૩) મોહનભાઇ જીવરામભાઈ બારૈયા (૪) પરશોત્તમભાઈ દયારામભાઈ ભટ્ટ (૫) ભાનુભાઈ શંભુભાઈ ભટ્ટ માર્ગદર્શક:- ગૌરીશંકરભાઈ રામશંકરભાઈ જોષી. 🕉️ પુરોહીતશ્રીઓની વ્યવસ્થાપક કમીટી:- (૧) બાબુભાઈ શીબાભાઈ જાળેલા (૨) મહેશભાઈ લાભશંકરભાઈ લાધવા (૩) મુકેશભાઇ રઘુરામભાઈ જાની (૪) વિપુલભાઈ મનુભાઈ જોશી (૫) શિવલાલભાઈ ભાણજીભાઈ બારૈયા માર્ગદર્શક/જવાબદારશ્રી સંજયભાઈ બારૈયા. 🕉️ વિધી વ્યવસ્થાપકશ્રી મંડપના સ્
23
Mar 2025શ્રી દશા પાલીવાલ બ્રહ્મણ સમાજ મિટિંગ
રોયલ🌹 🌹ડિજિટલ આમંત્રણ પત્રિકા🌹 🌹 ટ્રસ્ટીઓ,કારોબારી સભ્ય શ્રીઓ,બુક ધારકો , હૂંડા ના પ્રમુખ શ્રી ઓ તથા સમાજ ના જવાબદાર વ્યક્તિ ઓ ને જણાવવા નું કે આ મિટિંગ નું આમંત્રણ રૂબરૂ તુલ્ય ગણી હાજર રહેવા માટે વિનંતી છે. લિ:- પ્રમુખશ્રી/ મંત્રીશ્રી/ ટ્રસ્ટીઓ/ કારોબારી સભ્યો/ બુક ધારકો/ હુંડાના પ્રમુખશ્રીઓ... શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજ.
25
Dec 2024સરસ્વતી રાહાયક ફંડ સાધારણ સભા
શ્રીજી વાડી -પીપરલાતાઃર૫ -૧૨- ર૪ને બુધવારના રોજ સવારના ૯ - ૩૦ કલાકે સરસ્વતી સહાયક ફંડની સાધારણ સભા શ્રીજી વાડી -પીપરલા મુકામે રાખવામાં આવેલ છે. દરેક ગામના સરસ્વતી સહાયક ફંડની સ્થાનિક કમિટીના તમામ સભ્યશ્રીઓ તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર તમામ મિત્રોને સમયસર પધારવા નગ્ર વિનંતી. લિ.સરસ્વતી સહાયક ફંડ કોર કમિટી | સ્થળ : શ્રીજી વાડી - પીપરલા તારીખ : 25-12-2024 આપના હૂંડાના તમામ ગામોના તમામ સ્થાનિક કમિટીના સભ્યશ્રીઓને તથા સરસ્વતી સહાયક ફંડમાં કામ કરનાર અન્ય તમામને આ મેસેજ અત્યારે જ મોકલવા નમ્ર વિનંતી .
25
Dec 2024ગાંધીનગર :શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ સ્નેહમિલન સમારોહ 2024
ગાંધીનગર💥શ્રી દશા પાલિવાલ બ્રહ્મ સમાજ ગાંધીનગર સ્નેહમિલન સમારોહ-2024💥 આપણું આગામી સ્નેહમિલન તા.25/12/2024 ને બુધવાર ના રોજ યોજવાનું આયોજન કરેલ છે. આ મેસેજને રુબરુ આમંત્રણ સમાન ગણી પધારવા વિનંતી છે.આપણા આગામી સ્નેહમિલન માં ગાંધીનગર ખાતે આવનારા નવ નિયુક્ત ભાઈઓ અને બહેનો તથા પ્રમોશન કે ઉચ્ચપદ ની પ્રાપ્તિ કરેલ હોય તેઓની વિગત ૧. પૂરું નામ ૨. મેળવેલ પદ કે નિયુક્તિ ૩. મોબાઈલ નંબર વિગતો આ સાથે આપેલ નંબરમાં whatsapp કરવા વિનંતી.૯૪૨૮૯૮૧૮૭૨ તા.25/12/2024 ને બુધવાર સ્થળ: સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ, કુડાસણ, ગાંધીનગર સમય: સાંજે 4:30 કલાકે પ્રમુખ પાલીવાલ બ્રહ્મ સમાજ-ગાંધીનગર
22
Dec 2024🔱🌹 સ્નેહ મિલન સમારોહ ૨૨ - શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ 🌹🔱
સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર.આપ સૌને જણાવતા આનંદ થાય છે કે, આપણે સૌવ ૨૨ મો સ્નેહમિલન સમરોહ ઉજવી રહયા છીએ આ શુભ પ્રસંગે એક બીજાને રૂબરૂ મળવા, જૂની યાદોને તાજી કરવા અને વૈજ્ઞાનીક, કમ્યુટરનાં યુગમાં ભાગદોડવાળી આપણી રોજીંદી જીવન શૈલીમાંથી હળવાશની પળો માણવા તેમજ તેજસ્વી તારલાઓને પ્રોત્સહીત કરવા અને સાથોસાથ આપણા સમાજનો સર્વાંગી વિકાસ થાય, સંપ-સેવા-સહકાર-સંગઠનની ભાવના કેળવાય તે હેતુથી શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ - અમદાવાદ દ્વારા આયોજિત ૨૨ મા સ્નેહ મિલન સમારોહમાં અમદાવાદમાં વસવાટ કરતા જ્ઞાતિ બંધુઓને સહ-પરિવાર પધારવા તથા સહર્ષ સહભાગી થવા લાગણીસભર નિમંત્રણ પાઠવીએ છીએ.. હર હર મહાદેવ..🙏🌷 તારીખ: ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવાર સમય: સવારના ૦૮:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી. સ્થળ: સોમનાથ મહાદેવ મંદિર, એ.બી સ્કૂલ નજીક, બાપુનગર ચાર રસ્તા પાસે, બાપુનગર, અમદાવાદ શહેર. નોંધ: કાર્યક્રમ દરમ્યાન ભોજન સાથે લેશું મેપ લોકેશન માટે ક્લિક કરો..👇 https://maps.app.goo.gl/gZMTwjAirmAbqHdJA
14
Sep 2024શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ આઇટી સેલ સ્નેહ મિલન 2024
Ahmedabad🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ આઇટી સેલ સ્નેહ મિલન સભા 🪀🌷 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-11:00 કલાકે તા:-14/09/2024 ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐
18
Aug 2024સ્વજનોનું સંભારણું -ભાગ 2
Bhavnagarશ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા સ્વજનોનું સંભારણું ભાગ 2 આગામી દિવસોમાં પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ કારોબારી સમિતિ સમગ્ર સમાજનું આભાર વ્યક્ત કરે છે. લોકો દ્વારા આપવામાં આવેલા તિથિ ભોજન ની માહિતી એકત્રિત કરીને તેમના સ્વજનોના ફોટો સાથે પુસ્તિકા ભાગ 2 નું વિમોચન કરશે. શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દ્વારા સ્વર્ગસ્થ સ્વજનોને એક ઉત્કૃષ્ટ શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. સ્વજનોનો સંભારણું ભાગ 2 આવતી ઓગસ્ટ મહિના મા પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમને લગતી તારીખ,સમય,અને સ્થાન કારોબારી સમિતિ નક્કી કરીને ટૂંક સમયમાં જાહેર કરશે.
10
Aug 2024શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની કારોબારી મીટીંગ -2024
ભાવનગર🦚🌹🎍 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભા 🪀🌷 🛕 સ્થળઃ- શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ પાલીભવન,કાચના મંદિરની સામે મુ.:- ભાવનગર, તા:- ભાવનગર, જી:- ભાવનગર.🏕️🪀🏠 🕰️ સમય:-09:45 કલાકે તા:-10/08/2024 ને રવિવાર. 🥇✈️💦 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ભાઈઓ તથા બહેનોને (હાજર) ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે.💧🔥💐 મહાનુભાવોના દ્વારા જો કોઈ સમયમાં જગ્યા તથા તારીખ માં ફેરફાર હશે તો જણાવવામાં આવશે.
04
Aug 2024શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ સમુહ યજ્ઞોપવિત હીસાબ વાંચન બેઠક -રોયલ
રોયલ- રુવાપરી માતાજી મઢઆપણા સમાજનો 40 મો સમુહ યજ્ઞોપવિત સમારોહ રોયલ સમાજ ની વાડીમા રાખેલતેનો આભાર દર્શન તથા હીસાબ વાચન બેઠક -રોયલ રુવાપરી માતાજીના મઢ માં તારીખ 04/08/ 2024 ને રવિવાર સવારના 11 કલાકે રાખેલ છે. આપ સર્વેને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
28
Jul 202437મો તેજસ્વી તારલા સન્માન સમારોહ -2024
Bhavanagarશ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ આપણી જ્ઞાતિ ના તેજસ્વી તારલાઓ ને તા.૨૮.૦૭.૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૮.૩૦ વાગેથી અટલબિહારી વાજપેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર ખાતે સન્માનવા જઈ રહી છે. ધો.૧૦,૧૨ અને કોલેજ,માસ્ટર ડિગ્રી નાં છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓ,કલાસ ૧-૨ અધિકારીઓ સહિત વિવિધ વિષયોના અંદાજે ૭૫૦ તેજસ્વી તારલાઓનું સન્માન જ્ઞાતિ કરશે અને આ વિધ્યાર્થીઓની માહિતી પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવશે તો જ્ઞાતિના આ વિદ્યા યજ્ઞમાં દાન રૂપી આહુતિ આપી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી. ૧૫૦૦/- થી વધુ દાન આપનાર નાં નામ આ પુસ્તિકામાં પ્રકાશિત કરવાનાં હોય તા.૧૫.૦૭.૨૦૨૪ સુધી માં મહામંત્રી શ્રી જેરામભાઈ જાની, મોહનભાઈ બારૈયા, રાજેશભાઈ પંડ્યા ને નોંધાવી દેવાં નમ્ર વિનંતી નોંધ :- તેજસ્વી તારલાઓના ફોટા અને દાતાઓની યાદી સાથે ૧૦૦૦ નકલ બહાર પાડવાની હોવાથી તેમાં જાહેરાત લેવાનું નક્કી કરેલ છે આખા પાનાના 10000 રૂપિયા અડધા પાનાના 5000 રૂપિયા જે કોઈ આપવા ઇચ્છતા હોય તેમણે ભરતભાઈ મોહરા(9998909730)નો સંપર્ક કરવો