સ્વ. ગોદાવરીબેન ધનેશ્વરભાઈ ભટ્ટ
મૃત્યુ: 28/06/2026, Sunday
પાદરી (ગો)
ઉંમર: 71
પાદરી (ગો) નિવાસી સ્વ. ગોદાવરીબેન ધનેશ્વરભાઈ ભટ્ટ ઉંમર વર્ષ:- ૭૧ નું જેઠ સુદ ૧૪ ને રવિવાર તા:-૨૮/૦૬/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે. તેઓ ધનેશ્વરભાઈ ગણેશભાઈ ભટ્ટના પત્ની થાય. તથા ભાસ્કરભાઈ, અશોકભાઈ, ભાવનાબેન પોપટભાઈ ધાંધલીયા - તરસરા ના માતૃશ્રી થાય. તેમજ સ્વ. જટાશંકરભાઈ ગણેશભાઈ ના નાનાભાઈના પત્ની થાય. તથા સ્વ. ગંગારામભાઈ, પોપટભાઈ, સ્વ. ચુનીલાલભાઈ, વસનજીભાઈ, અમરજીભાઈ, ભુપતભાઈ, દયારામભાઈ, લાભશંકરભાઇ, સ્વ. રતિલાલભાઈ, દિલીપભાઈ, નંદલાલભાઈ ભીખાભાઇ ભટ્ટ (ત્રાપજ), મથુરભાઈ શિવશંકરભાઈ, રમેશભાઈ મોનજીભાઈ, મહેશભાઈ દેવજીભાઈ, સ્વ. ગજાનંદ પરશોતમભાઈના ભાભી થાય. તથા ગોપાલભાઈ જટાશંકરભાઈ ના કાકી થાય. તથા પ્રવિણભાઇ, પ્રાણશંકરભાઈ ના ભાભુ થાય. તથા પોપટભાઈ પ્રાગજીભાઈ ધાંધલીયા - તરસરા ના સાસુ થાય. તથા ભટ્ટ આયુષભાઈ ભાસ્કરભાઈના દાદીમાં થાય.
સમઢિયાળા નિવાસી સ્વ. શામજીભાઈ કુંવરજીભાઇ પનોત ના દિકરી થાય. તથા સ્વ. કરુણાશંકરભાઈ, મહાસુખભાઈ, દયારામભાઈના બહેન થાય.
સ્વ. નો લૌકીક વ્યવહાર (બેસણું) તારીખ:- ૦૨ અને ૦૩/૦૭/૨૦૨૬ ને ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ અમારા નિવાસસ્થાને પાદરી (ગો) મુકામે રાખેલ છે. તેમજ સુંવાળા તારીખ:- ૦૨/૦૭/૨૦૨૬ ને ગુરૂવારે રાખેલ છે. તથા બવળો ખર ખરો સાથે રાખેલ છે.
ભગવાન શ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ અર્પે એજ પ્રાથઁના. 🙏🕉️🙏😭🙏
શોક સંદેશ
0 સંદેશ | Messages