કાર્યક્રમની વિગત
37મો તેજસ્વી તારલા સન્માન સમારોહ -2024
શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ આપણી જ્ઞાતિ ના તેજસ્વી તારલાઓ ને તા.૨૮.૦૭.૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૮.૩૦ વાગેથી અટલબિહારી વાજપેયી હોલ, મોતીબાગ ટાઉન હોલ, ભાવનગર ખાતે સન્માનવા જઈ રહી છે. ધો.૧૦,૧૨ અને કોલેજ,માસ્ટર ડિગ્રી નાં છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓ,કલાસ ૧-૨ અધિકારીઓ સહિત વિવિધ વિષયોના અંદાજે ૭૫૦ તેજસ્વી તારલાઓનું સન્માન જ્ઞાતિ કરશે અને આ વિધ્યાર્થીઓની માહિતી પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવશે તો જ્ઞાતિના આ વિદ્યા યજ્ઞમાં દાન રૂપી આહુતિ આપી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી. ૧૫૦૦/- થી વધુ દાન આપનાર નાં નામ આ પુસ્તિકામાં પ્રકાશિત કરવાનાં હોય તા.૧૫.૦૭.૨૦૨૪ સુધી માં મહામંત્રી શ્રી જેરામભાઈ જાની, મોહનભાઈ બારૈયા, રાજેશભાઈ પંડ્યા ને નોંધાવી દેવાં નમ્ર વિનંતી નોંધ :- તેજસ્વી તારલાઓના ફોટા અને દાતાઓની યાદી સાથે ૧૦૦૦ નકલ બહાર પાડવાની હોવાથી તેમાં જાહેરાત લેવાનું નક્કી કરેલ છે આખા પાનાના 10000 રૂપિયા અડધા પાનાના 5000 રૂપિયા જે કોઈ આપવા ઇચ્છતા હોય તેમણે ભરતભાઈ મોહરા(9998909730)નો સંપર્ક કરવો

ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ