શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ–૨૦૨૬ આજે અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો.


આ સમારોહમાં અંદાજે ૧,૮૦૦થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ શૈક્ષણિક કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૮૮૨ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંતશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યશ્રીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ભાણજીભાઈ બારૈયા અને મહામંત્રી શ્રી જેરામભાઈ જાનીએ શિક્ષણના મહત્વ પર પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.


સમાજસેવી શ્રી ઓધવજીભાઈ પાલના સહયોગથી દરેક સન્માનિત વિદ્યાર્થીને શ્રીમદ્ ભગવદ્ ગીતા, હનુમાન ચાલીસા, પેન, ચોકલેટ, ચાંદલાનું પેકેટ, સ્મારિકા (મેગેઝિન) તથા ફાઇલ ભેટ આપવામાં આવી હતી.


આઈ.ટી. ટીમના શ્રી અશ્વિનભાઈ રમણા તથા શ્રી નીરવભાઈ જાની દ્વારા વિદ્યાર્થીઓની માહિતીનું સુંદર PPT પ્રેઝન્ટેશન એલ.ઈ.ડી. સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભરતભાઈ બારૈયા તથા શ્રી રાકેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ બારૈયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


🌸 વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો આ સમારોહ સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, એકતા અને પ્રતિભાના સન્માનનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો હતો.

Attachments
ટિપ્પણીઓ
5 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.